ગુજરાત માં આવેલ એવું ધામ કે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ દુઃખી પોતાના ઘરે પાછો નથી જતો . ત્યાં જવાથી તેના બધા જ દુઃખ દૂર થાય છે.

Sharing post

ગુજરાતમાં ઘણા એવા યાત્રા ધામો આવેલા છે કે જેના પરચાની વાતો દેશ વિદેશો સુધી કરવામાં આવે છે અને થાય પણ છે. આજે અમે ગુજરાતમાં આવેલા એક એવા જ યાત્રા ધામ વિષે જણાવીશું કે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ દુઃખી પોતાના ઘરે પાછો નથી જતો . ત્યાં જવા માત્રથી જ વ્યક્તિના દુઃખોનું નિવારણ થઇ જાય છે અને તેમના દુઃખો દૂર થઇ જાય છે.ભાવનગરથી 80 કિ.મી., મહુવાથી 25 કિ.મી., બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું ભગુડા ગામ એ જ માંગલ ધામ. 3500ની વસતી ધરાવતું મહુવા તાલુકાનું ભગુડા ગામ મોગલ માતાના ચાર પૈકીના એક ધામમાં સામેલ છે. આ મંદિરનો ઈતિહાસ રોચક છે. આશરે 450 વર્ષ પહેલા દુકાળ પડતા આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા. ત્યાં ચારણ અને આહિર જ્ઞાાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય, તેમણે આહીર જ્ઞાાતિના વૃધ્ધાને રખોપાના નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહિર વૃધ્ધા ભગુડા આવ્યા હતા અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી.

ભાવનગરના ભગુડા ધામમાં કે જ્યા આહીરોના કુળદેવી માં મોગલ બિરાજમાન છે. ભગુડા ધામે માં મોગલ હાજરો હજુર બિરાજમાન છે. ભગુડા ધામમાં મોગલના દર્શન કરનાર દરેક વ્યક્તિના બધાં જ દુઃખ દૂર થઇ જાય છે. લોકો પોતાની જુદી જુદી માનતા લઈને માં મોગલના દરવાજે આવે છે. માં મોગલ પોતાના દરવાજે આવતા કોઈ પણ ભક્તને કયારેય ખાલી હાથે પાછા નથી જવા દેતા.

લોકો અહીં સંતાનપ્રાપ્તિ, લગ્ન, નોકરી અને બીજી ઘણા પ્રકારની બાધા લઈને આવે છે. માં મોગલ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માં મોગલના દરવાજે આવતો કોઈ પણ ભક્ત કયારેય ખાલી હાથ પાછો નથી ફરતો. દેશ વિદેશથી પણ લોકો માં મોગલના દર્શન કરવા માટે ભગુડા ગામે આવે છે.

જે વ્યક્તિની આસ્થા એકવાર માં મોગલમાં બેસી જાય તો તે વ્યક્તિને માં મોગલ પોતાનું બાળક માની લે છે અને જેમ એક માતા પોતાના બાળકોને તકલીફમાં નથી જોઈ શકતી તેમ માં મોગલ પણ પોતાના બાળકોને કયારેય તકલીફમાં નથી જોઈ શકતા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!