પરિચીત વ્હીસલનો અવાજ ત્રીજીવાર કમલાના કાન પર અથડાયો… રાત્રિના બે વાગ્યાના ટકોરા પણ દિવાલ પરની ઘડિયામાંથી સંભળાયા… પરંતુ આજે કમલાનું દિલ તેના આ પંદરમાં પતિને અથવા પ્રેમીને છોડીને જવા માટે માનતું ન હતું…મકાનથી આશરે સાતસો કદમ દૂર સરિયામ રસ્તાની સામેની બાજુના વડના તોતીંગ ઝાડ નીચે ઊભેલા અશોકની વ્હીસલનો અવાજ રાત્રિની નીરવ શાંતિને ચીરતો ચીરતો વધુ તેજ થતો જતો હતો અને વ્હીસલના તેજ થતા અવાજમાંથી ‘કમલા જલ્દી કર, સમય ઓછો છે, બધુ સમેટીને ચાલી આવ, હું તારી રાહ જોઈને ઉભો છું. ‘ના અદ્રશ્ય પડઘા પણ મોટા થતા જતા હતા.
સેક્સ
આ બાજુ નરેશકુમારની મીઠી સોડ અને તેના અપ્રતિમપ્રેમની જીંજીરોમાં જકડાઈ ગયેલી કમલા પલંગમાંથી ઊભી થવા ઈચ્છતી ન હતી, પરંતુ તે અશોકની ઈચ્છાને વશ ના થાય તો તેનું અસ્તિત્વ આ ધરતી પરથી કાયમના માટે નાબૂદ થઈ જાય અને અશોકના કોરડાના ક્રૂર મારથી પોતાની ચામડી ઊતરી જાય એ દહેશતથી આખરે કમલા તેના દિલમાં રહેલા નરેશ પ્રત્યેના પ્રેમને બળજબરીથી દફનાવી દઈ તેની સોડમાંથી બલવત્તર ઊભી થઈ ગઈ.
નરેશની પથારીમાંથી ઊભા થઈને કમલાએ બાજુના સોફા પર પડેલી પોતાની સાડી પહેરી લીધી અને બારીએ જઈ રસ્તાની પેલે પાર ઉભેલા અશોકને ઈશારો કરી દીધો કે તું હવે વ્હીસલ મારીશ નહીં, હું આવું છું.ત્યારબાદ કમલાએ પલંગમાં ભરનિદ્રામાં પોઢેલા નરેશની સાથે પ્રેમભરી આખરી નજર નાંખી લીધી અને મનને મક્કમ કરી સામેના ટેબલ પર પહેલી ચાવીઓ લઈ તિજોરી ઉઘાડી અને તેમાં પડેલા પૂરા ચાલીસ ઘરેણાં તથા પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની સૂટકેશમાં મૂકી હંમેશાના માટે નરેશને છોડી જવાની તૈયારી કરી લીધી.
રાહુલ
આજ સુધી ત્રણ વર્ષના સમયમાં કમલાએ કોઈપણ જાતના દુઃખ વગર તેના ચૌદ પતિ અને પ્રેમીઓને ઉલ્લુ બનાવીને હંમેશના માટે રાત્રિના અંધકારમાં ફાંફા મારતા છોડી દીધા હતા, પરંતુ આજે આ પંદરમાં પતિ નરેશને છોડતાં તેનો પગ ઉપડતો નહોતો. એટલું નહીં, પરંતુ તેના દિલમાં ભારે તોફાન મચી ગયું હતું.નરેશની સાથે પંદર દિવસ અને પંદર રાત્રિનો સહવાસ ભોગવ્યા બાદ કમલાના દિલમાં નરેશે એક સાચા પતિ તરીકેનું સ્થાન જમાવી દીધું હતું, અને આટલા દિવસોમાં કમલાને તેણે પોતાના પ્રેમના ધોધમાં નવડાવીને અત્યંત નિકટમાં ખેંચી લીધી હતી.

નરેશના પ્રેમમાં સંપૂર્ણ રીતે ખેંચાઈ ગયેલી કમલાએ પોતાની સૂટકેશ બાજુએ મૂકી દઈ નરેશના પલંગ પાસે પહોંચી જઈ ઘૂંટણભેર બેસીને તેના ચરણોને નમન કરી તેના પતિની મૂંગી વિદાય લેવાની વિધિ કરી.બીજી બાજુ અશોક પણ હવે બાજી હારતો હોય તેમ ફરીથી તેણે તેની વ્હીસલો વગાડીને કમલાને દોડી આવવાના સંકેતનો દોર શરૂ કરી દીધો હતો.

પતિ
નરેશના ચરણને કમલાએ સ્પર્શ કર્યો તે દરમિયાન તેની આંખમાંથી અંતિમ વિદાયના બે આંસુ ટપકી પડયાં અને તેના કારણે નરેશની આંખ ખૂલી ગઈ અને પોતાના પહ પાસે રડતી કમલાને ઊભેલી જોઈને ચોંકી ઉઠયો, અને સફાળા પલંગમાં બેઠા થઈ કમલાનો હાથ ખેંચી તેને પોતાની ગોદમાં લઈ લીધી.કલ્પનામાં ન આવે એવી વાત બની જતાં કમલા નરેશના ખોળામાં જ ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડી. નરેશે તેને વ્હાલથી પોતાના બાહુપાશમાં વધારે જકડી લીધી અને પૂછ્યું: ‘અરે કમલા આટલી મોડી રાત્રે તું કેમ રડે છે, રડવાનું કારણ શું? તેને કંઈ મારા તરફથી ઓછું આવ્યું છે વગેરે વગેરે. કેટલાય સવાલો નરેશે કમલાને પૂછી નાંખ્યા.
નરેશના આ પ્રેમાળ અને નિર્દોષ વર્તનથી કમલાના દિલમાં અશોકના દબાણના કારણે રહેલી પાપનો છાંટો સરખો પણ પીગળી ગયો અને તેણે નરેશને પોતાની વિતકકથા નીચે મુજબ જણાવી.પોતાની વિતકકથા જણાવતાં પહેલાં કમલાએ નરેશને ટૂંકમાં જણાવી દીધું કે પોતે અશોક નામના એક નરાધામ માણસની જાળમાં ફસાયેલી છે, અને અશોક તેના દ્વારા નિર્દોષ લોકોના ઘરોમાં ચોરીઓ કરાવડાવે છે, તે કમાણી પર પોતે તાગડધિન્ના કરે છે.

સાથે-સાથે તો કમલાએ અશોકની હાજરીનો પણ નરેશને ખ્યાલ આપી દીધો અને પોતાને તેની ચુંગલમાંથી બચાવી લેવાની વિનંતી કરી દીધી.નરેશ પણ તેના શહેરની એક મોટી ફેક્ટરીનો મેનેજર હતો. અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘણા ઘનિષ્ટ સંબંધો ધરાવતો હતો. તેણે તુરત જ તેના મિત્ર પોલીસ સુપ્રિ.શ્રી વર્માને ટેલિફોન જોડી તાત્કાલિક મદદ માંગી લીધી અને ટેલિફોન પર વાતચીત દરમિયાન એ પણ જણાવી દીધું કે, નરાધમ અશોક પોતાના મકાનની સામેના વડના તોતીંગ ઝાડ નીચે છુપાઈને ઉભો છે.
પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ પણ તુરત જ નજીકના પોલીસ સ્ટેશન પર ફોન કરીને પોલીસના માણસોને વાહન સાથે બોલાવી લઈ આખોય કાફલો લઈને નરેશના મકાન તરફ જવા રવાના થઈ ગયા અને નરેશે દર્શાવ્યા મુજબના વડના તોતીંગ ઝાડની ઓછે છુપાઈને ઉભેલા અશોકને ઝડપી લીધો. ત્યાર પછી તેઓ સીધા નરેશના મકાને પહોંચી ગયા.
દરમિયાન નરેશ સમક્ષ કમલાએ વર્ણવેલી તેની સમગ્ર વીતકથાઓ પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ કમલાના પોતાના શબ્દોમાં સાંભળી.કમલાનો જન્મ જબલપુરના એક શિક્ષકના ત્યાં થયો હતો, અને તેના માતા-પિતાના ચાર સંતાનોમાં તે સૌથી મોટી હતી. કમલા તેના પિતાની શાળામાં જ અભ્યાસ કરતી હતી અને ભણવામાં પણ તે હંમેશા મોખરે રહેતી હતી. કુદરતે કમલાને માત્ર કુશાગ્ર બુદ્ધિ જ નહીં, પરંતુ સુંદરતા પણ આપી હતી અને આખીયે શાળામાં કમલા એક સ્વરૂપવાન વિદ્યાર્થીની તરીકે જાણીતી હતી.
એસ.એસ.સી.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં સફળતા મેળવીને કમલા તો પહેલાં વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને અભ્યાસ શરૂ કર્યો હતો.દરમિયાન કમલાના પિતાની તબિયત એકાએક બગડી અને કેન્સરના જીવલેણ રોગની ચુંગાલમાં તે ફસાઈ ગયા હતા. શિક્ષકનો ટૂંકો પગાર અને ચાર-ચાર સંતાનોની જવાબદારી ઉપરાંત કેન્સરના રોગના બોજાથી કમલાના પિતા લગભગ ભાંગી પડયા હતા અને આર્થિક ભીંસના કારણે તેમના રોગની દવા બરાબર થતી ન હોવાને કારણે એક દિવસ તેઓ તેમના કુટુંબને ભગવાનના ભરોસે છોડીને કાયમના માટે આ દુનિયાને વિદાય આપીને ચાલ્યા ગયા.
શિક્ષક-પિતાના અવસાનથી કુટુંબના ભરણ પોષણની જવાબદારી ખુદ કમલા ઉપર આવી પડી, અને તેના કારણે તેણે કોલેજને તિલાંજલી આપી દીધી.અસહ્ય મોંઘવારી અને કુટુંબની જવાબદારી માથે આવી પડતાં કમલા મૂંઝાઈ ગઈ હતી. દરમિયાન તેને તેના શહેરમાં વીજળીના સાધનો બનાવવાની એક નાનકડી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ. આ સમયે કમલા અઢારમાં વર્ષમાં પ્રવેશી ચૂકી હતી, અને તેની માતાને તેના હાથ પીળા કરી દેવાની પણ પ્રબળ ઈચ્છા થઈ ચૂકી હતી.

એ સમય દરમિયાન દિલ્હી ખાતે વીજળીના સાધનોની છૂટક વેચાણ કરતી દુકાનમાં નોકરી કરતાં અશોકને જબલપુર ખાતે આવવાનું થયું હતું, અને કમલા જે ફેક્ટરીમાં નોકરી કરતી હતી, ત્યાં આ બંને જણાંઓની પ્રથમ મુલાકાત થઈ હતી.ત્યારબાદ અશોકને જબલપુર ખાતે વારંવાર આવવાના પ્રસંગો સર્જાયા હતા અને દરેક વખતની મુલાકાતમાં તે કમલાની નજીકમાં આવતો ગયો હતો અને પરિચયના વારંવારના દોર દરમિયાન કમલાના કુટુંબની તમામ બાબતોનો તે માહિતગાર બની ચૂક્યો હતો. સાથે કમલા પણ તેની આંખોમાં વસી ચૂકી હતી.
પરિણામે અશોક કમલાની માતા અને તેના ભાઈ-બહેનોના પરિચયમાં આવ્યો હતો. દિલ્હી ખાતે અશોક માત્ર વીજળીના સાધનો વેચવાનું કામ કરતો નહતો, પરંતુ અવારનવાર દાણચોરીની ચીજ વસ્તુઓની હેરાફેરી પણ કરી લેતો હતો અને તેના કારણે દિલ્હીની અંધારી આલમના કેટલાક પાત્રો સાથે પણ પરિચય ધરાવતો હતો.દરમિયાન કમલાની માતાએ એક દિવસ અશોકને કહ્યું: ‘ભાઈ કમલા હવે મોટી થઈ છે, અને કોઈ સારો છોકરો મળી જાય તો તેના હાથ પીળા કરી દેવાની ઈચ્છા છે, તારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો મને જણાવજે.
કમલાની માતાની વાત સાંભળીને અશોકના મનમાં અનેક વિચારો વહેતા થઈ ગયા, અને કમલા જો પોતાને મળી જાય તો ઘણાં કામ થઈ જાય એવો વિચાર પણ તેના મનમાં ચમકી ગયો.અશોક દિલ્હી ખાતેના તેના દાણચોર મિત્રોને પણ કમલાની વાત જણાવી અને કમલાની સુંદરતા તથા તેના કુટુંબની મજબૂરીની વાત પણ મિત્રો સાથે ચર્ચી નાખી. અશોકના મિત્રોના મનમાં પણ કમલા વસી ગઈ, અને આવી સ્વરૂપવાન તથા બુધ્ધિશાળી અને મજબૂર છોકરી તેમની ટોળકીને મળી જાય તો બેડો પાર થઈ જાય એમ સૌએ માન્યું.
બસ, ત્યાર પછી તો અશોક અને તેના મિત્રોનું દુષ્ચક્ર શરૂ થયું. તેમાંથી એક દેખાવડા યુવાન સરેન્દ્રપાલને તૈયાર કરવામાં આવ્યો અને દિલ્હીમાં સુરેન્દ્રપાલનું પોતાનું મકાન છે, તેમજ રેડીયોની દુકાન ધરાવે છે, અને સુખી છે, એવી રજુઆત કમલાની માતા પાસે કરીને સુરેન્દ્રપાલ તથા કમલાના લગ્ન કરાવી દેવાની યોજના તૈયાર કરવામાં આવી.ગમે તે ભોગે કમલાને પોતાની જાળમાં ફસાવવાની અશોક અને તેના ત્રણ મિત્રોની યોજનાને પાર પાડવા અશોકને જબલપુર ખાતે મોકલવામાં આવ્યો, અને આ વખતે કમલા માટે એક સાડી અને તેની માતા માટે પણ એક જોડી કપડાં, તેમજ કમલાના ભાઈ-બહેનો માટે મિઠાઈ લાવવાનું અશોક ભૂલ્યો નહોતો.
અશોકની ભેટો સ્વીકારાઈ ગયા બાદ તેણે કમલાની માતા પાસે સુરેન્દ્રપાલની વાત છેડી. તેની સાથે કમલાને પરણાની દેવાની રજૂઆત કરી. અત્યાર સુધીના અશોકના નિર્દોષ વર્તનના કારણે કમલાની માતાને તેની રજૂઆત ગળે ઉતરી ગઈ અને કમલાના મનમાં પણ આ વાત ઉતારી દેવામાં આવી.ત્યાર પછીના ચોથા દિવસે અશોક પોતાની સાથે સુરેન્દ્રપાલને કમલાના ઘેર લઈ આવ્યો, અને તેની માતાએ તથા કમલાએ પોતે સુરેન્દ્રપાલને સ્વીકારવાની સંમતિ આપી દધી.
પંદરેક દિવસો પછી અશોક અને સુરેન્દ્રપાલ તથા તેના અન્ય બે મિત્રો પાંચેક હજાર રૂપિયાનાં ઘરેણાં તથા કપડાં વગેરે સાથે લઈને જબલપુર ખાતે પહોંચી ગયા અને ‘સુરેન્દ્રપાલના દાદા પંજાબ ખાતેના તેમના વતનમાં ખૂબ જ બિમાર છે, અને ગમે તે પળે મૃત્યુ પામે તેમ છે માટે, જરા પણ વિલંબ કર્યા સિવાય સુરેન્દ્રપાલ તથા કમલાના સાદગીથી લગ્ન કરાવી દેવા છે, એવી રજૂઆત કમલાની માતા પાસે કરી બે હજાર રૂપિયાની રોકડ રકમ આપી દીધી અને બીજી સવારે દશ વાગ્યે કમલાના ઘરમાં અગ્નિની સાક્ષીએ ધડિયાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં.
કમલાનાં ઘડિયાં લગ્નથી તેના અન્ય સગાં સંબંધીઓને તાજુબી થઈ, પરંતુ વિધવા મહિલાનું ઘર સુખી થતું હોય તો શા માટે માથાકૂટ કરવી, એવું વિચારીને કોઈએ હરફ પણ ઉચ્ચાર્યો નહીં, અને આવા શુભપ્રસંગે અશોક તરફથી વહેચવામાં આવેલા મીઠાઈનો સૌ કોઈએ સ્વીકાર પણ કરી લીધો.
સુરેન્દ્રપાલ તરફથી કમલાની માતા તથા તેના ભાઈ-બહેનોને કપડાં પણ આપવામાં આવ્યાં, અને લગ્નના બીજા દિવસે કમલાને લઈને અશોક અને તેના મિત્રો દિલ્હી તરફ રવાના થઈ ગયા.
દિલ્હીમાં આ ચંડાળ ચોકડીએ એક ફ્લેટ ભાડે રાખી લીધો હતો, જેમાં સુરેન્દ્રપાલ અને કમલાને રાખવામાં આવ્યા, કમલા સુરેન્દ્રપાલની પત્ની બનીને રહી. દરમિયાન કમલાએ ‘પોતે દિલ્હીમાં સુખેથી હે છે.’ એવા બે પત્રો પણ તેની માતાને લખ્યા હતા, જેની સામે તેની માતાનો પણ એક પત્ર કમલાને મળ્યો હતો.
લગ્નની વીસમાં દિવસની મધરાત બાદ કમલાની રૂમમાં સુરેન્દ્રપાલના સ્થાને અશોક આવ્યો અને કમલાને તેણે જણાવ્યું કે, ‘સુરેન્દ્રપાલ એક અઠવાડિયા માટે રાજકોટ ગયો છે, એટલે તારી દેખભાળ માટે હું અહીંયા રહેવાનો છું.’પોતાનો પતિ બહારગામ જાય એની જાણ અશોક આટલી અડધી રાત્રે આવીને કરે, એ વાત કમલાના ગળામાં સૌપ્રથમ તો ઊતરી જ નહીં,