રવિવારે રજા કેમ રાખવામાં આવે છે?જરૂર જાણો આ પાછળનું કારણ.

Sharing post

મિત્રો આપણે જોતા આવીએ છીએ કે, આપણે  ઘણી બધી રજાઓ વર્ષ દરમિયાન માણીએ છીએ. ક્યારેક કોઈ મહાન પુરુષોની જયંતીની રજાઓ જેમ કે, ગાંધી જયંતી, ક્યારેક રાષ્ટ્રીય તહેવારની રજા, ૧૫ મી ઓગષ્ટની, ૨૬ મી જાન્યુઆરી, ક્યારેક અન્ય તહેવારો દિવાળી કે જન્માષ્ટમીની રજાઓ.

રજા હોવી નાના બાળકથી લઈને મોટા સુધી તમામને ગમતું હોય છે. જો કે હાલમાં લોકડાઉનના કારણે લોકો રજાથી પણ કંટાળી ગયા છે. પરંતુ રજાનું એક આગવું મહત્વ છે. અઠવાડિયામાં એક દિવસ એવો આવે છે જે દિવસે રજા હોય છે અને તે છે રવિવારનો દિવસ, હવે આપણા મનમાં એક પ્રશ્ન કાયમ રહેતો હશે કે રવિવારના દિવસે જ કેમ રજા રાખવામાં આવતી હોય છે? બીજા કોઈ દિવસે કેમ નહીં? તો તેની પાછળ પણ કારણ છુપાયેલું છે જે આજે અમે તમને જણાવીશું.

ઈસાઈયોનું માનવું છે કે તેમના ભગવાન ઇસા મસીહાને સુળી ઉપર લટકાવ્યા બાદ તે રવિવારના દિવસે પાછા જીવતા થઇ ગયા હતા. જેના કારણે ઈસાઈ ધર્મને માનવા વાળા રવિવારના દિવસે ચર્ચમાં જાય છે અને રવિવાર મનાવે છે. થોડા સમય બાદ આ દિવસને રજાના રૂપમાં મનાવવામાં આવ્યો અને અધિકારીક રીતે 1843માં તેને માન્યતા પણ મળી ગઈ.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!